Reservation Policy India: જે લોકોએ પોતાનો ધર્મ બદલીને, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિ (SC)ના અનામતનો લાભ લીધો છે, તેમની સરકારી નોકરી હવે જોખમમાં મુકાઈ શકે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) આવા લોકોને શોધવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો મુખ્ય હેતુ અનામતના દુરુપયોગને રોકવાનો છે.

