કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે દાખલ કરાયેલી અરજીનો નિકાલ કરી દીધો છે, એટલે કે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસનો સમય આપ્યો હતો અને એક સ્પષ્ટ રિપોર્ટ માંગ્યો હતો જેમાં સરકારે જણાવવું પડે કે રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં. આ અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે શું કહ્યું છે તે જાણીએ.

