કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષ પાસે મધ્યસ્થીની માગણી કરી નથી. વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થરૂરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કથિત મધ્યસ્થીના પ્રયાસો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં આ વાત કહી. થરૂર હાલમાં ઓપરેશન સિંદૂરના ભારતના આઉટરીચ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે.