Mumbai Blast 1993: જાણીતા વકીલ અને રાજ્યસભા માટે તૈયારી કરી રહેલા ઉજ્જ્વલ નિકમે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, જો અભિનેતા સંજય દત્તે હથિયારોથી ભરેલા વાહનની જાણકારી પોલીસને આપી હોત, તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આ બ્લાસ્ટ ટાળી શકાયા હોત, જેમાં 267 લોકોના જીવ ગયા હતા.