RBI MPC Decision Today: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ 1 ઓક્ટોબર, 2025ના રોજ નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે રેપો રેટ 5.50% પર યથાવત રહેશે. આ નિર્ણય 29 સિપ્ટેમ્બરથી ચાલી રહેલી MPC મીટિંગના અંતિમ દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આ નિર્ણયનો અર્થ એ છે કે ગ્રાહકોને સસ્તી લોન માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. તેમણે ઉમેર્યું કે, ઓગસ્ટની નીતિ બેઠક બાદથી દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ઘટનાઓ બની છે, જેનું મૂલ્યાંકન કરવું જરૂરી હતું.