Gadkari controversial statement: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના સીધા અને બેબાક અંદાજ માટે જાણીતા છે. તેઓ જે પણ મનમાં હોય તે સ્પષ્ટપણે કહી દેતા હોય છે. હાલમાં જ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ફરી એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગડકરીએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે ચૂંટણીમાં તેમને ભણેલા-ગણેલા લોકો કરતા અંડરવર્લ્ડ, ગુનેગારો અને રેડ લાઈટ એરિયાના લોકોએ વધુ વોટ આપ્યા છે.

