લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ પક્ષોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે મોરચો માંડ્યો છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સચિવાલયમાં નોટિસ મોકલી છે. આ નોટિસ પર વિપક્ષના કુલ 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકાર સામે સતત અવાજ ઉઠાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સહી આ નોટિસમાં નથી. બીજી તરફ, મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદોએ પણ આ પ્રસ્તાવ પર સહી કરી નથી.

