Get App

PM મોદીનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ એકતા નગરમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રવાસ રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર થશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 30, 2024 પર 1:01 PM
PM મોદીનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ, જુઓ સંપૂર્ણ શેડ્યૂલPM મોદીનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. આ સમય દરમિયાન તેઓ એકતા નગરની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રવાસ ન માત્ર એકતા નગરના વિકાસને નવી ગતિ આપશે, પરંતુ રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર વિશેષ મહત્વ પણ ધરાવે છે.

પ્રથમ દિવસનું શેડ્યૂલ

વડાપ્રધાન 30 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે કેવડિયા, એકતા નગર પહોંચશે, જ્યાં તેઓ રૂપિયા 280 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL-કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ અને વ્હીલ્સ પર ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)નો સમાવેશ થાય છે.

સાંજે 6 વાગ્યે, વડાપ્રધાન 99મા કોમન ફાઉન્ડેશન કોર્સ - આરંભ 2024ને સંબોધિત કરશે, જે યુવાનોને પ્રેરણા આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ પછી સાંજે 7:15 કલાકે વડાપ્રધાન નર્મદા દીપોત્સવમાં હાજરી આપશે અને નર્મદા આરતીમાં ભાગ લેશે. નર્મદા ઘાટને દીવાઓથી શણગારવામાં આવશે, જે પ્રસંગને વધુ ભવ્ય બનાવશે.

બીજા દિવસનો કાર્યક્રમ

31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે. સવારે 7.15 કલાકે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી, તેઓ સાંજે 7:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ થશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 10 વાગે દિલ્હી જવા રવાના થશે.

વિકાસ પ્રોજેક્ટ્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો