બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ચત્રા શિબપુર આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ બંને સંગઠનોને રાજકીય દરજ્જો આપીને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે, જેની અસર ભારત સહિત આખા દક્ષિણ એશિયા પર પડી શકે છે.