સંસદના બજેટ સત્ર દરમિયાન સોમવારે લોકસભામાં વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન સરહદ વિવાદ અને ડોકલામ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ એમ.એમ. નરવણેની એક મેગેઝીન રિપોર્ટ અને તેમના સંસ્મરણોનો ઉલ્લેખ કર્યો, જેના કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર તકરાર થઈ ગઈ.

