કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. બંધારણના 130મા સુધારા બિલના વિરોધને લઈને તેમણે કહ્યું કે વિપક્ષની આ હરકત તદ્દન ખોટી છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી ગંભીર આરોપમાં 30 દિવસથી વધુ જેલમાં રહે, તો 31મા દિવસે તેમનું પદ આપોઆપ ખાલી થયેલું ગણાશે અને રાજીનામું માની લેવામાં આવશે.