PM Modi on Tariff: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદમાં એક સભાને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું કે ભારત દેશના હિતોને સર્વોપરી રાખીને કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવા તૈયાર છે. અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર 27 ઓગસ્ટથી 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે, તેના બે દિવસ પહેલા મોદીએ આ નિવેદન આપ્યું. તેમણે ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.