PM Modi's Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે 5400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ શહેરી વિકાસ, ઉર્જા, માર્ગ અને રેલ્વે સેક્ટર સાથે સંબંધિત છે. આ પ્રસંગે PM મોદી એક જાહેર સભાને પણ સંબોધશે, જે ગુજરાતના વિકાસની દિશામાં મહત્વનું પગલું ગણાશે.