કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પાર્ટી છોડ્યા ત્યારથી જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પક્ષોને સતત નિશાન બનાવી રહ્યા છે. હવે તેમણે ફરી એકવાર રાહુલ ગાંધી અને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત પર મોટો હુમલો કર્યો છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરોપ લગાવ્યો છે કે સંજય રાઉત અને રાહુલ ગાંધી ભારતને તોડીને બીજું પાકિસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.