રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી પી કે મિશ્રા હાલમાં વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. એક સત્તાવાર આદેશ અનુસાર, તમિલનાડુ કેડરના નિવૃત્ત IAS અધિકારી દાસનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સુધી અથવા આગામી આદેશો સુધી રહેશે. "કેબિનેટની નિમણૂક સમિતિએ વડા પ્રધાનના મુખ્ય સચિવ-2 તરીકે શક્તિકાંત દાસ, IAS (નિવૃત્ત) ની નિમણૂકને મંજૂરી આપી છે.