Air India broken seats: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બાદ હવે ભાજપના પ્રવક્તા જયદીપ શેરગિલ એર ઈન્ડિયાના ગેરવહીવટ પર ગુસ્સે ભરાયા છે. તેમના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે તેને સૌથી ખરાબ એરલાઇન ગણાવી હતી. જયદીપ શેરગિલ પણ એર ઈન્ડિયાની તૂટેલી સીટોથી ખૂબ ગુસ્સે હતા.