ભારતના નેતાઓ દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો કરે છે, પરંતુ બીજી તરફ દર વર્ષે લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે લોકસભામાં જણાવ્યું કે 2024માં 2,06,378 ભારતીયોએ પોતાના પાસપોર્ટ સરેન્ડર કર્યા. આ આંકડો ચોંકાવનારો છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 8,96,843 લોકો ભારતીય નાગરિકતા છોડીને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) બની ગયા છે.