પંજાબના મોગામાં અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ગયા મહિને એટલે કે 18 માર્ચથી પોલીસથી ભાગી ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના ઘણા સહયોગીઓની ધરપકડ પણ કરી હતી. હાલમાં જ પોલીસે તેના વફાદાર પપલપ્રીત સિંહની પણ ધરપકડ કરી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટૂંક સમયમાં અમૃતપાસ સિંહ પણ પકડાઈ જશે. અમૃત પાલ સિંહનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના હજારો સમર્થકોએ પંજાબના અજનાલામાં ભારે હંગામો મચાવ્યો.

