બાલીના ગવર્નરે તાજેતરમાં તેના 22 પર્વત શિખરો પર પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી જાહેર કરવા જણાવાયું છે. વાસ્તવમાં બહારથી આવતા લોકોની ખરાબ આદતોથી પરેશાન બાલી સરકારે આ નિર્ણય લીધો છે. બાલી એક ખૂબ જ પોપ્યુલર પર્યટન સ્થળ છે. કોરોના મહામારીના એક વર્ષ પહેલા લગભગ 6.2 મિલિયન લોકોએ બાલીની મુલાકાત લીધી હતી. અહીંની અર્થવ્યવસ્થાનો 60 ટકા હિસ્સો પ્રવાસનમાંથી આવે છે.

