ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરતા પહેલા પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરી લો. હવે તેના પર બાજોઠ પર લાલ કે પીળા કલરનું કપડુ પાથરો. ત્યાર બાદ શુભ મુહૂર્તના ગણપતિજીની પૂર્વદિશા તરફ મોઢું કરીને મુકો. ત્યારે બાદ ગણપતિ પર દુર્વાથી ગંગાજળનો છંટકાવ કરો. તેના પર હળદર, કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, ચોખા, મૌલી, દુર્વા, જનોઈ, મીઠાઈ, લાડુ, ફળ અને ફુલ અર્પણ કરો. ત્યારબાદ ગણપતિની સાથે સાથે ભગવાન શિવ અને પાર્વતિજીની પણ પૂજા કરો. પ્રસાદ ધરાવો અને ત્યાર બાદ આરતી કરો. આ જ રીતે 10 દિવસ સુધી દરરોજ સવાર-સાંજ ગણપતિની પૂજા-અર્ચના, આરતી કરી અને પ્રસાદ ધરાવવો.