તેલંગાણા સરકારે સરકારી કર્મચારીઓ માટે એક નવો અને કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે, જેમાં જો કોઈ કર્મચારી પોતાના બુજુર્ગ માતા-પિતાની જવાબદારીથી મુંહ ફેરવશે, તો તેના પગારમાંથી 10થી 15 ટકા રકમ કાપીને સીધી તેમના માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઘોષણા મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ શનિવારે નવનિયુક્ત ગ્રુપ-II કર્મચારીઓને નિમણૂક પત્રો આપતી વખતે કરી હતી.

