ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કેસમાં યમનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે, યમનના સ્થાનિક અધિકારીઓએ નિમિષા પ્રિયાને ફાંસી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 16 જુલાઈ, 2025, બુધવારના રોજ યમનમાં ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિમિષાના પરિવાર અને તેના સમર્થકો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે.

