Kedarnath Yatra Closed: હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરતાં જિલ્લા વહીવટીતંત્રે કેદારનાથ ધામની યાત્રા 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય યાત્રા માર્ગ પર ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.