Anxiety Attack Symptoms: એન્ઝાયટી એક માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિને અસામાન્ય ચિંતા, ઘબરાટ અને બેચેનીનો અનુભવ થાય છે. આજના સમયમાં તણાવ અને જીવનની વધતી જવાબદારીઓને કારણે એન્ઝાયટીના કેસમાં વધારો થયો છે. ઘણી વખત લોકો એન્ઝાયટીને હાર્ટ અટેકના લક્ષણો સાથે ગૂંચવી લે છે, જેના કારણે સમયસર યોગ્ય ઉપચાર નથી મળી શકતો. શારદા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. ભૂમેશ ત્યાગીના જણાવ્યા મુજબ, એન્ઝાયટીની સમસ્યાને સમજવી અને તેના કારણોને ઓળખવું ખૂબ જ જરૂરી છે.

