Gujarat Breast Cancer: ગુજરાતમાં સ્તન કેન્સરનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. દરરોજ સરેરાશ 32થી વધુ નવા દર્દીઓમાં આ રોગનું નિદાન થાય છે, જ્યારે 12 દર્દીઓના મોત થાય છે. વર્ષ 2019થી 2023 સુધીમાં રાજ્યમાં કુલ 54616 કેસ સામે આવ્યા છે, જેમાં 20317 દર્દીઓનું જીવન ગુમાવ્યું છે.

