Get App

સ્તન કેન્સરનો ગુજરાતમાં વધતો ખતરો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોતનો આંકડો!

ગુજરાતમાં સ્તન કેન્સરના કેસમાં ઝડપી વધારો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોત! અમદાવાદની સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા. જાણો કારણો, લક્ષણો અને બચાવના ઉપાય.

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2025 પર 11:20 AM
સ્તન કેન્સરનો ગુજરાતમાં વધતો ખતરો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોતનો આંકડો!સ્તન કેન્સરનો ગુજરાતમાં વધતો ખતરો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોતનો આંકડો!
કેન્સરના કારણોમાં સ્થૂળતા અને દારૂનું સેવન મુખ્ય છે, જેની સામે જાગૃતિ જરૂરી છે.

Gujarat Breast Cancer: ગુજરાતમાં સ્તન કેન્સરનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. દરરોજ સરેરાશ 32થી વધુ નવા દર્દીઓમાં આ રોગનું નિદાન થાય છે, જ્યારે 12 દર્દીઓના મોત થાય છે. વર્ષ 2019થી 2023 સુધીમાં રાજ્યમાં કુલ 54616 કેસ સામે આવ્યા છે, જેમાં 20317 દર્દીઓનું જીવન ગુમાવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડેટા અનુસાર, સૌથી વધુ કેસ 41થી 50 વયના જૂથમાં જોવા મળ્યા છે, જે 32 ટકા છે. ખાસ વાત એ છે કે આ રોગ માત્ર મહિલાઓને જ નથી થતો. છેલ્લા ત્રણ વર્ષમાં 44 પુરુષોમાં પણ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે, જે ચોંકાવનારી માહિતી છે. ભારતમાં 32.58 લાખ કેન્સર દર્દીઓ છે, જેમાં દર વર્ષે 14.13 લાખ નવા કેસ ઉમેરાય છે. મહિલાઓમાં 27 ટકા કેસમાં સ્તન કેન્સર જોવા મળે છે, જે 2022માં 1.92 લાખથી વધુ હતા.

GCRIમાં નોંધાયેલા સ્તન કેન્સરના દર્દીઓમાં સૌથી મોટો હિસ્સો મધ્યમ વયજૂથનો છે. કુલ કેસો પૈકી સૌથી વધુ 32% જેટલા દર્દીઓ 41થી 50 વર્ષની વયજૂથના છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો