Diwali air pollution: દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે, પરંતુ તેની સાથે હવામાં પ્રદૂષણનું સ્તર પણ ખૂબ વધી જાય છે. ફટાકડાંના ધુમાડા અને ઠંડીની શરૂઆતને કારણે હવાની ગુણવત્તા (AQI) ખરાબ થઈ જાય છે, જે ફેફસાં અને રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરે છે. આવા સમયે તમે એક દેશી આયુર્વેદિક કાઢાનો ઉપયોગ કરીને તમારા ફેફસાંને સુરક્ષિત રાખી શકો છો અને ઇમ્યુનિટી વધારી શકો છો.

