Get App

Lucknow Fire Tragedy: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગથી 15 લોકોના કરુણ મોત, 4ની ધરપકડ

લખનૌના અલીગંજમાં આવેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોના મોત થયા છે. આ મામલે 4 લોકોની ધરપકડ અને 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 23, 2026 પર 10:26 AM
Lucknow Fire Tragedy: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગથી 15 લોકોના કરુણ મોત, 4ની ધરપકડLucknow Fire Tragedy: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગથી 15 લોકોના કરુણ મોત, 4ની ધરપકડ
આ બિલ્ડિંગ અલીગંજના પોશ રહેણાંક વિસ્તારમાં ઉષા મહેતા માર્ગ પર આવેલી છે. બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.

Lucknow Fire Tragedy: સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક સૂચના બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોચિંગ સેન્ટરમાં ફસાયા હતા વિદ્યાર્થીઓ

આ બિલ્ડિંગ અલીગંજના પોશ રહેણાંક વિસ્તારમાં ઉષા મહેતા માર્ગ પર આવેલી છે. બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગના ઉપરના માળે એક એનિમેશન સેન્ટર (કોચિંગ ક્લાસ) ચાલતું હતું, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ સિવાય નીચેના માળે એક ક્લિનિક અને પેટ શોપ પણ આવેલા હતા.

4 આરોપીની ધરપકડ, 4 અધિકારીઓ સસ્પેન્ડ

આ ગોઝારી ઘટના બાદ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા બિલ્ડિંગના 3 માલિકો રામ કૃષ્ણ ઉપાધ્યાય (43), વીરેન્દ્ર પ્રસાદ શુક્લા (62), તુષાર કૃષ્ણ જયસ્વાલ (31) અને સુરેશ કુમાર સાહૂ નામના અન્ય એક શખ્સ સહિત કુલ 4 લોકોની રાતોરાત ધરપકડ કરવામાં આવી છે.

ફરજમાં બેદરકારી દાખવવા બદલ મુખ્યમંત્રીના આદેશથી 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં વીજળી વિભાગના ગૌરવ કુમાર, ફાયર વિભાગના કમલેન્દ્ર કુમાર સિંહ, અને લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) ના બે એન્જિનિયર અનિલ કુમાર તથા પ્રમોદ પાંડેનો સમાવેશ થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો