Navratri 2023 Day 9: નવરાત્રિનો નવમો દિવસ નવમી તરીકે ઓળખાય છે. આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. ઘણા લોકો આ દિવસે તેમના ઉપવાસ સમાપ્ત કરે છે. જો તમે પણ નવરાત્રીનો તહેવાર મનાવી રહ્યા છો તો નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરો. માતા સિદ્ધિદાત્રીને દેવી સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. માતાને જાંબલી અને લાલ રંગનો ખૂબ શોખ છે. માતા સિદ્ધિદાત્રીની કૃપાને કારણે ભગવાન શિવનું અડધું શરીર દેવી જેવું બની ગયું અને તેને અર્ધનારીશ્વર કહેવામાં આવ્યું. માતાનું આ સ્વરૂપ તમામ સિદ્ધિઓ આપનાર છે.

