પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. અહીં પાકિસ્તાની સેના વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે. અહીંના લોકોનો આરોપ છે કે પાક આર્મી ભારતમાં બળજબરીથી ઘૂસણખોરી કરવા માટે Pokના ગરીબ લોકોને પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. એટલું જ નહીં, લોકોનો આરોપ છે કે જ્યારે મિશન નિષ્ફળ જાય છે ત્યારે પાકિસ્તાની સેના આ લોકોને ગોળી મારી દે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે ભારતીય સેનાના જવાનોને જોઈને ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પોકના લોકો પાછા પાકિસ્તાન ભાગી ગયા હતા, ત્યારબાદ તેઓને મારી નાખવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે પાકિસ્તાન આર્મી તેમના જ દેશના ગરીબ લોકોની હત્યા કરી રહી છે.

