જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે ચિનાબ નદી પર આવેલા બગલિહાર ડેમ દ્વારા પાણીનો પ્રવાહ રોકી દીધો છે. આ ઉપરાંત, ઝેલમ નદી પર આવેલા કિશનગંગા ડેમ દ્વારા પણ આવું જ પગલું ભરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ પગલાં ભારતના સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયનો ભાગ છે, જે પહેલગામ હુમલા બાદ લેવામાં આવ્યો હતો.

