સાઉદી અરેબિયાના પ્રવાસને અધવચ્ચે મૂકીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે દિલ્હી પરત ફર્યા અને તુરંત એક્શન મોડમાં આવી ગયા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા ઘાતક આતંકી હુમલાને પગલે તેમણે દિલ્હી એરપોર્ટ પર જ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ટૂંકી પરંતુ મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં પહેલગામ હુમલા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન આજે સુરક્ષા મુદ્દે કેબિનેટની બેઠકની પણ અધ્યક્ષતા કરશે.