કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભીડને અસરકારક રીતે સંભાળવા માટે તાજેતરમાં નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. આ નિયમો વિરોધ પ્રદર્શનો, મોટા ઇવેન્ટ્સ જેમ કે કુંભ મેળા, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાંના કાર્યક્રમો, ધાર્મિક સમારંભો અને બાબાઓના પ્રવચનોને લગતા છે. તેમજ સાંપ્રદાયિક રમખાણો, વિદ્યાર્થીઓના આંદોલનો અને સોશિયલ મીડિયા દ્વારા ફેલાતા જન આક્રોશને પણ આવરી લેવામાં આવ્યા છે.