મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક ભોજશાળા પરિસર વિવાદમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે મુસ્લિમ પક્ષને શુક્રવારની નમાઝ અદા કરવા માટે ભોજશાળા પરિસરની બિલકુલ નજીક એક ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે બંને પક્ષોના અધિકારોનું ધ્યાન રાખીને આ વ્યવસ્થા કરવામાં આવે, જેથી મુસ્લિમ પક્ષ બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે નમાઝ પઢી શકે.

