અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરમાં ચંદા ચોરીના કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક નવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ અંગેની સત્તાવાર માહિતી આપી છે.

