Indus Water Treaty: 22 એપ્રિલના રોજ કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓના પાણીના વહેંચણીનું નિયમન કરે છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાને આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુધી લઈ જઈને ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.