Floods in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરમાં હવામાનનો મિજાજ ઝડપથી બગડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂર જેવી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. શનિવારે પડેલા ભારે વરસાદ બાદ, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રા અને શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રાને થોડા સમય માટે સાવચેતીના ભાગરૂપે અટકાવી દેવામાં આવી છે.

