કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, દેશના વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસએમ કૃષ્ણાનું નિધન થયું છે. તેમણે આજે સવારે 2.45 કલાકે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુરઈ લઈ જવામાં આવ્યો છે. એસએમ કૃષ્ણાનો જન્મ 1932માં થયો હતો. તેમનું આખું નામ સોમનહલ્લી મલૈયા કૃષ્ણ છે. તેઓ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. 22 મે 2009ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને 23 મે 2009ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી. માર્ચ 2017માં એસએમ કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2023માં સરકારે એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.