Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓએ દેશની સુરક્ષાને લઈને મોટી ચિંતા પેદા કરી છે. મોદી સરકારે આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં શાહે આતંકવાદી ગતિવિધિઓ (ઝીરો ટેરર પ્લાન)ને સંપૂર્ણપણે કાબૂમાં રાખવાની નીતિને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

