Kutch Gujarat News: કચ્છના અંજારમાં 15 પરિવારોના ઝૂંપડાને આગ ચાંપવામાં આવતા અને તમામને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ખત્રી બજાર પાસે મજૂરોની ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. જ્યાં વહેલી સવારે એક પાગલ વ્યક્તિએ અચાનક આગ ચાંપી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઝૂંપડામાં રહેતા પરિવારોએ સાવચેતી દાખવી પોતાના પરિવાર અને બાળકો સાથે ભાગી છૂટ્યા હતા. પરંતુ મજૂર પરિવારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

