CJI DY ચંદ્રચુડે કહ્યું કે લોકોને અહેસાસ કરાવવાનો સમય આવી ગયો છે કે અમે છીએ. CJIએ જિલ્લા અદાલતોના સંદર્ભમાં આ વાત કહી. તેમણે કહ્યું કે, જિલ્લા અદાલત એવી જગ્યા છે જ્યાં સામાન્ય માણસ ન્યાયની શોધમાં સૌથી પહેલા પહોંચે છે. આવી સ્થિતિમાં તેને ત્યાં યોગ્ય ન્યાય આપીને આપણે સમાજને સકારાત્મક સંદેશ આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે ઘણી વખત વિવિધ કારણોસર સામાન્ય માણસ ન્યાય માટે ઉચ્ચ અદાલતો સુધી પહોંચી શકતો નથી. આવી સ્થિતિમાં, તેને પ્રથમ સ્થાને જ વધુ સારા ઉકેલો મળવા જોઈએ. CJI ‘નૅશનલ કોન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી'ને સંબોધિત કરી રહ્યા હતા. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તેમણે યુવા શક્તિ અને ન્યાયતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે પણ વાત કરી હતી.