Arun Gandhi: મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર અરુણ ગાંધીના અંતિમ સંસ્કાર મંગળવારે કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ પણ મંગળવારે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.

