અમરનાથ યાત્રા માટે કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે 4,800થી વધુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગુરુવારે વહેલી સવારે જમ્મુ શહેરથી નીકળ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના રક્ષણ હેઠળ 4,885 યાત્રાળુઓની 14મી બેચ બે બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી સવારે 3.06 વાગ્યે રવાના થઈ હતી. આતંકવાદી હુમલા અને ત્યારપછીના ઓપરેશન બાદ ભગવતી નગર બેઝ કેમ્પ અને યાત્રાના રૂટની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.