Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઊંડી તિરાડ પડી છે. આ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના હિન્દુ પર્યટકોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ પાકિસ્તાન સરકારને ભયંકર આંચકો આપ્યો છે, અને હવે તે ભારતની સંભવિત સૈન્ય કાર્યવાહીના ભયથી થરથર કાંપી રહ્યું છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે એક ચોંકાવનારો દાવો કર્યો છે, જે દર્શાવે છે કે પાકિસ્તાન આંચકામાં છે અને ભારતના કડક વલણથી ગભરાટમાં છે.