વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસ (Anthony Albanese) સાથે ઑસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલા (Hindu temples in Australia)ની તાજેતરની ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ પર ભારતની ચિંતાઓ વિશે પણ તેમને વાકેફ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસે આ બાબતો પર કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. જણાવી દઈએ કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. બંને દેશોના વડા પ્રધાનો બુધવારે મળ્યા હતા, જેના પછી તેઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

