Get App

Kanwar Yatra 2026: કાવડ યાત્રાને લઈને દિલ્હીમાં કડકાઈ, MCDનો માંસની દુકાનો બંધ કરાવવાનો મોટો આદેશ

કાવડ યાત્રા 2026 ની શરૂઆત થતા જ દિલ્હી MCD એ યાત્રાના રૂટ પર આવેલી માંસની તમામ ગેરકાયદે દુકાનો બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. 4 કરોડથી વધુ કાવડિયાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ.

MoneyControl Newsઅપડેટેડ Jul 30, 2026 પર 11:23 AM
Kanwar Yatra 2026: કાવડ યાત્રાને લઈને દિલ્હીમાં કડકાઈ, MCDનો માંસની દુકાનો બંધ કરાવવાનો મોટો આદેશKanwar Yatra 2026: કાવડ યાત્રાને લઈને દિલ્હીમાં કડકાઈ, MCDનો માંસની દુકાનો બંધ કરાવવાનો મોટો આદેશ
MCD એ પોતાના તમામ 12 ઝોનના અધિકારીઓને કડક સૂચના આપી છે કે કાવડ યાત્રાના રૂટ અને કાવડ કેમ્પોની આસપાસ ચાલતી માંસની તમામ ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે.

Kanwar Yatra 2026: શ્રાવણ માસની શરૂઆત થતાં જ વિશ્વની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક એવી પવિત્ર 'કાવડ યાત્રા' નો ગુરુવાર, 30 જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ યાત્રા દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કરોડો શિવભક્તો પવિત્ર ગંગાજળ લેવા માટે ઉત્તરાખંડના હરિદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ઉમટી પડશે. આ યાત્રાને ધ્યાનમાં રાખીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ કેટલાક અત્યંત કડક અને મહત્વના પગલાં લીધા છે.

દિલ્હીના 12 ઝોનમાં માંસની દુકાનો પર કાર્યવાહીના આદેશ

MCD એ પોતાના તમામ 12 ઝોનના અધિકારીઓને કડક સૂચના આપી છે કે કાવડ યાત્રાના રૂટ અને કાવડ કેમ્પોની આસપાસ ચાલતી માંસની તમામ ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. આટલું જ નહીં, જે દુકાનો પાસે લાયસન્સ છે, તેમનું પણ ચેકિંગ કરવામાં આવશે.

જો કોઈ લાયસન્સ ધરાવતી દુકાન નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાશે, તો તેની સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં 30 જુલાઈથી લઈને 11 ઓગસ્ટ સુધી 308 જેટલા 'કાવડ કેમ્પ' લગાવવામાં આવશે. આ યાત્રા શરૂ થતા પહેલા જ MCD એ તમામ જરૂરી સિવિલ વ્યવસ્થાઓ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા છે.

દબાણ હટાવવા અને સાફ-સફાઈના નિર્દેશ

MCD ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, તમામ ઝોનલ ડેપ્યુટી કમિશનરોને કેમ્પ સાઈટની આસપાસથી તમામ પ્રકારના દબાણો હટાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કેમ્પની જગ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ ચલાવવાનો આદેશ અપાયો છે. ઉગી નીકળેલું ઘાસ-કચરો હટાવવા અને નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.યાત્રા દરમિયાન 24 કલાક સફાઈ જળવાઈ રહે તે માટે સફાઈ કામદારો અને મશીનરી 3 શિફ્ટમાં કામ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો