Kanwar Yatra 2026: શ્રાવણ માસની શરૂઆત થતાં જ વિશ્વની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક એવી પવિત્ર 'કાવડ યાત્રા' નો ગુરુવાર, 30 જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ યાત્રા દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કરોડો શિવભક્તો પવિત્ર ગંગાજળ લેવા માટે ઉત્તરાખંડના હરિદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ઉમટી પડશે. આ યાત્રાને ધ્યાનમાં રાખીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ કેટલાક અત્યંત કડક અને મહત્વના પગલાં લીધા છે.

