PM Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરતા દેશની આર્થિક પ્રગતિ અને દુનિયાભરમાં ભારતની વધતી શાખ અંગે ખૂલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે શા માટે આજે દુનિયાના મોટા દેશો ભારત સાથે વેપાર કરવા આતુર છે. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશમાં જે રાજકીય સ્થિરતા છે, તેના કારણે જ વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો વધ્યો છે.

