રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તબિયતની સમસ્યાને કારણે RBI ગવર્નરને સોમવારે રાત્રે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈમરજન્સી જેવી કોઈ પરિસ્થિતિ નથી અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

