મોબાઈલ ફોન અને ટેબલેટ ખરીદનારા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી સમાચાર છે. હવે ગ્રાહકોને કોઈપણ બ્રાન્ડનો સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદતા પહેલા એ જાણકારી મળશે કે ખરીદેલું ઉપકરણ ખરાબ થાય તો તેનું રિપેર શક્ય બનશે કે નહીં, અને જો રિપેર શક્ય હશે તો તેનું સફળતાપૂર્વક રિપેર થવાની સંભાવના કેટલા ટકા છે. આ સુવિધા ભારત સરકાર દ્વારા ગઠિત એક ખાસ સમિતિની ભલામણોના આધારે શરૂ થવા જઈ રહી છે.