Titanic Submarine: એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલી ટાઇટન સબમરીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangateએ જણાવ્યું હતું કે ગુમ થયેલ ટાઇટન સબમરીનના તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. એટલાન્ટિક મહાસાગરમાં સબમર્સિબલના વિસ્ફોટથી ભારે નુકસાન થયું છે. આ સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ, તેનો પુત્ર સુલેમાન દાઉદ, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પૌલ હેનરી નારગેલેટ અને ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ પણ સામેલ હતા. આ બધા સબમરીનમાં સવાર થઈને ટાઈટેનિકનો ભંગાર જોવા જઈ રહ્યા હતા. આ સબમરીન રવિવારે બપોરે ગુમ થઈ ગઈ હતી.

