ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. આ પગલું આધાર ડેટાબેઝની ચોક્કસાઈ અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે. UIDAIનું કહેવું છે કે, આ એક દેશવ્યાપી ડેટાબેઝ ક્લીન-અપ અભિયાનનો ભાગ છે.

